અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોને બે ઠંડા સમયની બે નમાઝો પઢવા પર ઉભારી રહ્યા છે, અને તે બે નમાઝો એટલે કે ફજર અને અસરની...
જુન્દુબ બિન અબ્દુલ્લાહ અલ્ કસરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ફજરની નમાઝ પઢી લે તે અલ્લાહની શરણમાં અને તેની મદદ તેમજ તેની નજર હેઠળ આવી જાય છે, તે તેની રક્ષા કરે છે અને તેન...
બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તે...
નબી ﷺ એ અસરની નમાઝ તેના સમયથી જાણી જોઈને વિલંબ કરવાથી રોક્યા છે, જો કોઈ વ્યક્તિ આ કાર્ય કરશે તો તેનો અમલ બાતેલ ગણાશે અને તેના અમલ વ્યર્થ થઈ જશે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્...
નબી ﷺ એ કહ્યું કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પઢવાનું ભૂલી જાય અને સમય પણ નીકળી જાય, તો તેણે યાદ આવવા પર કઝા કરવામાં ઉતાવળ કરવી જોઈએ, મુસલમાન પરહેજગાર વ્યક્...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમા...
નબી ﷺ નમાઝ બાબતે મુનાફિક લોકોની આળસ વિશે જણાવી રહ્યા છે, ખાસ કરીને ફજર અને ઈશાની નમાઝ બાબતે, જો તેમને મુસલમાનોની જમાઅત સાથે નમાઝ પઢવાનો સવાબનો અંદાજો...

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ બે ઠંડા સમયે નમાઝની પાબંદી કરશે તો તે જન્નતમાં પ્રવેશ પામશે».

જુન્દુબ બિન અબ્દુલ્લાહ અલ્ કસરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના શરણમાં આવી ગયો, અર્થાત્ (એવું કામ કરો કે) અલ્લાહ તમને પોતાની જવાબદારીમાં કોઈ પણ વસ્તુના આધારે ક્યારેય સવાલ ન કરે, કારણકે જો અલ્લાહ તઆલા કોઈને પોતાની જવાબદારી વિષે સવાલ કરી લે તો તેને પકડી લેશે અને ઊંધા મોઢે જહન્નમમાં દાખલ કરી દે શે».

બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી, {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહો: ૧૪]»

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા, મારો મજબૂત ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સમેત આગ લગાવી દઉં».

ઈબ્ને અબી અવફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.

હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે».

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ નમાઝમાં બંને સિજદા વચ્ચે આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી, વર્ હમ્ની, વઆફિની, વહ્દિની, વર્ ઝુક્ની" (અર્થ: હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહેમ કર, મને આફિયત આપ, મને માર્ગદર્શન આપ અને મને રોજી આપ)».

હિત્તાન બિન અબ્દુલ્લાહ અર્ રકાશી રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ સાથે નમાઝ પઢી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા તો એક વ્યક્તિએ કહ્યું કે નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે પાછળ જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર પૂછ્યું કે તમારા માંથી આ વાત કોણે કહી? તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું: શું તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? આપ ﷺ એ ખુતબો આપ્યો, આપે સુન્નતને સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું: «જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો, અને જ્યારે તે આ આયત પઢી લે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} તો તમે આમીન કહો, અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું, (રુકુઅમાં મુક્તદી તરફથી થતી વાર આ વસ્તુનું બદલ ગણાશે, જે વાર) માથું ઉઠવતી વખતે થાય છે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે, કારણકે આ વાક્યો પયગંબરની જબાને કહ્યા છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, ઇમામ પહેલા સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, અલ્લાહના રસૂલ ﷺએ કહ્યું તો આ વાર મુકતદીએ કરેલી વારનો બદલ હશે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારો સૌ પ્રથમ દુઆ હશે, التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».

અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા, «"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વ-અલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)». અને બીજી રિવાયતના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં સલામ ફેરવવા માટે બેસે અને આ શબ્દો કહે છે: "અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહમતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન" (((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય) તો આકાશ અને જમીનના દરેક સદાચારી બંદાઓ તરફથી સલામ કહેવું સાબિત થઈ જશે, "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" (હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ આ શબ્દો વડે દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી)».અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યાર તમારા માંથી કોઈ વ્યક્તિ નમાઝમાં તશહ્હુદ પઢી લે તો અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગે: જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફીતનાથી, અને દાજ્જાલની બુરાઈથી».

મઅદાન બિન અબી તલ્હા અલ્ યઅમરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આઝાદ કરેલ ગુલામ ષૌબાન સાથે મુલાકાત કરી, મેં કહ્યું: મને એક એવો અમલ જણાવો કે જેના કારણે અલ્લાહ મને જન્નતમાં દાખલ કરી દે? અથવા મેં કહ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, તેઓ ચૂપ રહ્યા, મેં ફરીવાર સવાલ કર્યો, તેઓ ચૂપ રહ્યા, મેં ત્રીજી વખત સવાલ કર્યો તેઓએ કહ્યું: આ વિશે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કર્યો તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ માટે વધુ પ્રમાણમાં સિજદા કરતા રહો, કારણકે અલ્લાહ તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરે છે અને અલ્લાહ તમારી ભૂલોને મિટાવી દે છે,» મઅદાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: ફરી મેં અબૂ દરદાઅ સાથે મુલાકાત કરી, અને તેમને પણ આ વિશે સવાલ કર્યો તો તેઓએ પણ મને ષૌબાને આપેલ જવાબ પ્રમાણે જવાબ આપ્યો.