સમજુતી
સહાબી અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ એ નમાઝ પઢાવી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા અર્થાત્ તશહ્હુદની બેઠકમાં તો એક વ્યક્તિએ પાછળથી કહ્યું કે કુરઆન મજીદમાં નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે મુક્તદી સામે જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? કે કુરઆન મજીદમાં નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર તેમનો સવાલ રિપીટ કર્યો, તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તેમની નીડરતા, નિકટતા અને તેમની સાથેના સબંધના કારણે કહ્યું, આ વાત પર તેની પકડ કરવામાં નહીં આવે, માટે ખરેખર જેણે આ વાત કહી હોય તે તેનો સ્વીકાર કરી લે, તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું : શુ તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? ઠપકો આપવા માટે આ વાત કહી, નબી ﷺ એ ખુતબો આપ્યો,આપે શરીઅત સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું:
જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, અને સીધા ઉભા રહી જાઓ, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે તકબીરે તહરીમા અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તેના જેવી જ તકબીર કહેશો, અને સૂરે ફાતિહા પઢો અને જ્યારે તે આ આયત પહોંચે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} (સૂરે ફાતિહા : ૭), તો તમે આમીન કહો, જો તમે આ પ્રમાણે કરશો તો અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, તમારે એમના કરતા પહેલા ઉભા નથી થવાંનું; કારણ કે જે ક્ષણમાં ઈમામ રુકૂઅમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી રુકૂઅમાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે જ ક્ષણ છે અને તમારા રુકુઅની લંબાઈ સમાન થઈ જશે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે; કારણકે આ પયગંબરની જબાન વડે કહી છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, અને આ બન્ને તમારા પર ફરજીયાત છે, ઇમામ સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, કારણ કે જે ક્ષણમાં ઈમામે ઝુકાવમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી ઝૂકવામાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે ક્ષણ છે અને તમારા સિજદાની લંબાઈ સમાન થઈ જાય છે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારે સૌ પ્રથમ આ દુઆ પઢવાની રહેશે , التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ،
સામ્રાજ્ય, અસ્તિત્વ અને મહાનતા સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે.અને એવી જ રીતે પાંચેય નમાઝ પણ અલ્લાહ માટે જ છે, السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، અલ્લાહથી દરેક ખામી અને નુકસાનથી બચવાનો સવાલ કરવો જોઈએ, પછી અમે આપ ﷺ પર અને દરેક સદાચારી લોકો માટે સલામતીનો સવાલ કરીએ છીએ, જે અધિકાર અલ્લાહ અને તેના બંદાઓ પર છે, તેને પુરા પાડીએ છીએ, أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.