- આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પાંચ અલગ અલગ પ્રકાર વર્ણન કર્યા છે: સોનુ, ચાંદી, ઘઉં, જુવાર અને ખજૂર, જો આ પ્રકાર માંથી કોઈનો વેપાર કરવો હોય, તો બે શરતો પ્રમાણે વેપાર થઈ શકશે: જે મજલિસમાં સોદો થાય તે જ મજલિસમાં બદલવું જોઈએ, અને વજનમાં સોનાના બદલે સોનુ બરાબર હોવું જોઈએ, જો આ પ્રમાણે સોદો નહીં થાય, તો રીબલ્ ફઝલ એટલે કે વધારાનું વ્યાજ ગણવામાં આવશે, અને જો પ્રકાર બદલાય જાય, જેવું કે ઘઉંના બદલામાં ચાંદી, તો એક શરત પુરી કરવી જરૂરી છે કે સોદો કરતી વખતે કિંમત નક્કી કરી લેવી, જો આ પ્રમાણે નહીં હોય તો રિબન્ નસીઅહ (વધારાનું વ્યાજ જે નકદ અથવા કરજ પ્રાપ્ત કરવા માટે વધારવામાં આવે)ગણવામાં આવશે.
- એક મજલિસનો અર્થ એ કે જે જગ્યાએ વેપાર થતો હોય એ જગ્યા, તમે બેઠા બેઠા કરતા હોવ, ચાલતા ચાલતા કે સવારી કરતા કરતા, અને જુદાઈનો અર્થ સામાન્ય રીતે આપણે જેને અલગ થવું કહેતા હોય તે છે.
- આ હદીષમાં સોનાના દરેક પ્રકારનો સમાવેશ થાય છે, ગ્રીલ્ડ કરેલું હોય કે સિક્કા હોય એવી જ રીતે ચાંદી પણ, ચાંદીના પણ દરેક પ્રકાર શામેલ છે, ગ્રીલ્ડ કરેલું હોય કે સિક્કા સ્વરૂપે હોય.
- આજે જે ચલણને બદલવું હોય, જેમકે તમે સોનાના બદલામાં ચાંદી બદલવા ઇચ્છતા હોય અથવા એક ચલણના બદલામાં બીજું ચલણ લેવા ઇચ્છતા હોવ જેમકે દિરહમના બદલામાં રિયાલ, તો આ પ્રકારનો વેપાર કરવો જાઈઝ છે, પરંતુ તેમાં શરત એ છે તે વેપાર એક જ મજલિસમાં પૂર્ણ થાય, અને બંને તેનાથી રાજી હોય, અન્યથા તે સોદો અમાન્ય થઈ જશે અને તેણે હરામ વ્યાજ ગણવામાં આવશે.
- વ્યાજ પર લેવણદેવણ યોગ્ય નથી અને તે બાતેલ ગણવામાં આવશે, ભલેને બન્ને પક્ષ રાજી હોય; કારણકે ઇસ્લામ માનવીની અને સમાજની સુરક્ષા કરે છે, ભલેને કોઈ આપતું હોય.
- બુરાઇને રોકવી અને જે શક્તિ ધરાવતો હોય તે જરૂર બુરાઈને રોકે.
- ગુનાહનો ઉલ્લેખ કરતી વખતે દલીલ ઝિક્ર કરવી જોઈએ જેમકે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કરી.