મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
નબી ﷺ એ મસ્જિદે નબવીની મહત્ત્વતા વર્ણન કરી છે કે તે મસ્જિદમાં નમાઝ પઢવાનો સવાબ અન્ય મસ્જિદોમાં નમાઝ પઢયા કરતા એક હજાર ઘણો વધારે આપવામાં આવે છે, સિવાય મસ્જિદે હરામના, તેમાં નમાઝ પઢવી નબી ﷺ ની મસ્જિદમાં નમાઝ કરતા પણ વધુ સવાબ મળે છે.
Hadeeth benefits
મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમા નમાઝ પઢવાનો બમણો સવાબ.
મસ્જિદે હરામમાં નમાઝ પઢવાનો સવાબ અન્ય મસ્જિદોમાં એક લાખ નમાઝ પઢવા કરતા મહત્વ છે.
Share
Use the QR code to easily share the message of Islam with others