- આ હદીષમાં પ્રસંશા બાબતે શરીઅતની હદ વટાવવાથી ચેતવણી આપવામાં આવી છે; કારણે કે શિર્ક તરફ લઈ જાય છે.
- જે બાબતોથી નબી ﷺ એ પોતાની કોમને સચેત કર્યા હતા તેઓ તેમાં સપડાઈ ગયા, જ્યારે કે એક જૂથ નબી ﷺ બાબતે હદથી વધી ગયું, અને બીજા જૂથે નબી ﷺ ના ઘરવાળાઓ બાબતે હદ વટાવી દીધી, અને ત્રીજા જૂથે નેક લોકો બાબતે હદ વટાવી દીધી, તો તેઓ શિર્કમાં સપડાઈ ગયા. (હદ વટાવવાનો અર્થ એ કે તેમની પ્રસંશા કરવામાં તેઓએ અતિશયોક્તિ કરી).
- નબી ﷺ એ પોતાને અલ્લાહનો બંદો જણાવ્યો, તે જાહેર કરવા માટે કે તેઓ અલ્લાહ પાસેથી તાલીમ મેળવેલા બંદા છે, અને જે ગુણો અલ્લાહ માટે ખાસ છે, તેની સાથે સરખામણી કરવી જાઈઝ નથી.
- નબી ﷺ એ પોતાને આ હદીષમાં અલ્લાહના રસૂલ છે તે જણાવ્યું, એ જાહેર કરવા માટે કે તેઓ અલ્લાહ તરફથી મોકલેલ પયગંબર છે; એટલા માટે તેમના પર ઈમાન લાવવામાં આવે અને તેમનું અનુસરણ કરવામાં આવે.