- ઈબાદતનું મૂળ કુરઆન અને હદીષના આદેશો પર આધારિત છે, અમે ફક્ત અલ્લાહ આપેલ આદેશો પર જ અમલ કરીએ છીએ, બિદઅત અને અમાન્ય વાતોને નથી માનતા.
- દીન કોઈના મંતવ્યો પર આધારિત નથી, અલ્લાહ અને અલ્લાહના રસૂલ ﷺ ના આદેશો પર આધારિત છે.
- આ હદીષ ઇસ્લામ ધર્મના સંપૂર્ણ હોવાની દલીલ છે.
- બિદઅત તે દરેક કામ જેને દીન સમજી કરવામાં આવે અને તે અકીદો, વાત અથવા કાર્ય જેનું નબી ﷺ ના સમયમાં, સહાબાના સમયમાં કઈ અસ્તિત્વ જ ન હતું.
- આ હદીષ ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી એક છે, આ હદીષ દરેક અમલ માટે એક ત્રાજવા જેવી છે, જેવી રીતે કોઈ પણ અમલ અલ્લાહ માટે કરવામાં ન આવે તો તે અમલ કરનાર માટે કોઈ બદલો નથી, એવી જ રીતે જે કાર્ય નબી ﷺ ના બતાવ્યા પ્રમાણે કરવામાં ન આવે, તે કાર્ય અમાન્ય ગણવામાં આવશે.
- આ જે વાત કરવામાં આવી છે, અર્થાત્ નવી વાતો અથવા કર્યો, જેનો દીન સાથે કો સંબંધ નથી, તે ફક્ત દીન બાબતે જોવામાં આવશે, દુનિયા બાબતે આ સિદ્ધાંત નથી.