- શૌચાલય માંથી બહાર નીકળી આ દુઆ પઢવી: "ગુફરાનક" મુસ્તહબ છે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહાર પાસે દરેક સ્થિતિમાં માફી માગતા હતા.
- શૌચાલય માંથી હાજત પૂરી કર્યા પછી માફી માંગવાનું કારણ શું છે? તો તેના જવાબમાં નીચે વર્ણવેલ વાતો કહેવામાં આવી: અલ્લાહએ આપેલ ભવ્ય નેઅમત અને ઘણી આપેલ નેઅમતોનો શુક્ર આપણે કરવામાં ગફલત અને જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, તેને સરળતાથી બહાર કાઢવું પણ અલ્લાહની આપણા ઉપર એક ભવ્ય નેઅમત છે, અને હાજત પુરી કરતા સમયે હું અલ્લાહના ઝિક્રથી વચિંત રહ્યો, તે બદલ હું અલ્લાહ પાસે માફી માગું છું.