- કયામતના દિવસે નબી ﷺ ભલામણ કરશે, અને તે ફક્ત એકેશ્વરવાદી લોકોને જ પ્રાપ્ત થશે.
- અલ્લાહ સમક્ષ નબી ﷺ ની ભલામણ તે તૌહીદ પરસ્ત બંદાઓ માટે જેઓ જહન્નમના હકદાર હશે, અને જહન્નમમાં દાખલ થવાથી રોકવા માટે અથવા જે લોકો દાખલ થઈ ગયા છે, તેમને તેમાંથી કાઢવા માટે હશે.
- નિખાલસતા સાથે સાચા દિલથી અલ્લાહ માટે કહેવામાં આવેલ તૌહીદના કલિમાની મહત્વતા અને તેનો ભવ્ય ફાયદો..
- તૌહીદના કલિમોને શીખવાનો અર્થ એ કે તેનો અર્થ જાણવો અને તેના પર અમલ કરવો.
- આ હદીષમાં અબૂ હુરૈરહ રઝી. ની મહત્વતા કે તેઓ હદીષ શીખવા બાબતે કેટલા ઉત્સાહિત હતા.