- જે વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે તેના માટે ત્રણ વખત નાક સાફ કરવું શરીઅતનો આદેશ છે, કારણકે શૈતાનનો અસર ખતમ થઈ જાય, જો તે વઝૂ કરવા જઈ રહ્યો છે, તો તેમાં નાક સાફ કરવાનો આદેશ શામેલ છે.
- નાકમાં પાણી ચઢાવી નાક સાફ કરવાના ઘણા ફાયદા છે, નાકના અંદરના ભાગે પાણી ચઢાવવાથી નાક સાફ થાય છે અને પાણી સાથે ગંદકી બહાર નીકળી જાય છે.
- આ આદેશ રાત્રે ઊંઘ થી ઉઠ્યા પછી ખાસ છે; કારણકે હદીષમાં જે શબ્દ વર્ણન થયો છે "રાતપસાર" કરવા માટે ખાસ છે, ખરેખર ઊંઘ તો રાતની ઊંઘ જ છે, કારણકે તે લાંબા સમય માટેની હોય છે, અને તેમાં માણસની સ્થિતિ સ્થિર હોય છે.
- આ હદીષમાં દલીલ છે કે શૈતાન માનવી સાથે રહે છે અને તેને સહેજ પણ જાણ નથી થઈ શકતી.