કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે અલ્લાહ તઆલા સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટી લેશે, અને એકને બીજા પર લપેટી તેને નષ્ટ કરી દેશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?!
Hadeeth benefits
આ હદીષમાં તે વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે ફક્ત અલ્લાહની બાદશાહત કાયમ રહશે, તેના સિવાયના દરેક બાદશાહો નષ્ટ થઈ જશે.
આ હદીષમાં અલ્લાહની મહાનતા, તેની કુદરતની મહાનતા, અને તેના સંપૂર્ણ અધિકાર અને સંપૂર્ણ બાદશાહત હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે.
Share
Use the QR code to easily share the message of Islam with others