સમજુતી
આપ ﷺ એ આયત તિલાવત કરી: {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે},ખરેખર અલ્લાહ તઆલા વર્ણન કરી રહ્યો છે કે તે જ છે, જેણે પોતાના નબી પર કુરઆન ઉતાર્યું, જેમાં સ્પષ્ટ ઈશારો કરતી આયતો, સ્પષ્ટ આદેશો વર્ણન છે, અને વિવાદ વખતે નિર્ણાયક કિતાબ છે, કિતાબમાં બીજી આયતો પણ છે, જેમનો અર્થ અલગ અલગ હોય શકે છે, જેના અર્થને લઈને કેટલાક લોકો શંકાસ્પદ બની ગયા છે, તેઓ સમજે છે કે આ આયત બીજી આયતની વિરુદ્ધ છે, તો અલ્લાહ તઆલાએ આ પ્રકારના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તે વર્ણન કર્યું છે, અને જે લોકોના દિલ સત્ય વાત તરફ ઝુકેલા હોય છે, તેઓ નિર્ણય અલ્લાહ પર છોડી દે છે, અને જે લોકો તે આયતના અર્થઘટન કરતા હોય છે, વધારે પડતા લોકોના દિલોમાં શંકાઓ ઉભી કરે છે અને લોકોને ગુમરાહ કરે છે, અને પોતાની મનેચ્છા પ્રમાણે આયતનું અર્થઘટન કરવા બેસે છે, અને જે લોકો ઠોસ ઇલ્મ ધરાવે છે તેઓ જાણે છે કે આ શંકાસ્પદ છે, તેઓ મૂળ તરફ ફેરવે છે અને અલ્લાહ તઆલા પવિત્ર છે, કુરઆનમાં કોઈ વિરોધી વાતો નથી, તે તેને યાદ કરે છે અને જ્ઞાની વ્યક્તિ સિવાય કોઈની સામે વર્ણન નથી કરતો, પછી આપ ﷺ એ આયશા રઝી અલ્લાહુ અન્હાને કહ્યું: જે લોકો અલ્લાહની મુશતબહ આયતમાં અર્થઘટન કરે છે, તેમના જ વિશે આ આયત અલ્લાહએ ઉતારી છે, (આ તે લોકો ના હૃદયોમાં રોગ છે) તેમનાથી બચો અને તેમની વાત ન સાંભળશો.