- નબી ﷺ ની નુબૂવ્વતની નિશાનીઓ માંથી એક તે પણ છે કે નબી ﷺ એ ગેબની વાતો વિશે જે જાણકારી આપી છે તે જરૂર થઈને જ રહેશે.
- કોઈ ગુનાહના કાર્ય પર ખુશ થવું અથવા તેનો કોઈ પણ રીતે સાથ આપવો જાઈઝ નથી, તેનો ઇન્કાર વાજિબ (અનિવાર્ય) છે.
- જ્યારે કોઈ હોદ્દેદાર શરીઅત વિરુદ્ધ આદેશ આપે તો તે બાબતમાં તેનું અનુસરણ કરવું જાઈઝ નથી.
- મુસલમાન હોદ્દેદારો વિરુદ્ધ મોરચા કાઢવા પર રોક લગાવી છે; જેના કારણે ભષ્ટાચાર ફેલાય છે, ખૂનામરકી અને અશાંતિ ફેલાય છે, એટલા માટે નાફરમાન શાસકોની અવજ્ઞાને સહન કરવી અને તેમના તરફથી મળતી તકલીફ પર સબર કરવું વધારે સરળ છે.
- નમાઝનું એક અલગ જ મહત્વ છે, તે કુફ્ર અને ઇસ્લામ વચ્ચે તફાવત કરવાવાળી છે.