- આ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના જે હકો વાજિબ છે, તે વર્ણન કર્યા છે તે એ કે ફક્ત તેની જ ઈબાદત કરવામાં આવે અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરાવવામાં ન આવે.
- આ હદીષમાં નબી ﷺ એ બંદાઓના તે હકો જે અલ્લાહએ પોતાના પર કૃપા અને નેઅમત રૂપે ફરજ કર્યા છે તેને પણ વર્ણન કર્યા છે તે એ કે અલ્લાહ તેમને જન્નતમાં દાખલ કરે અને તેમને અઝાબ ન આપે.
- આ હદીષમાં એકેશ્વરવાદી (તૌહીદ પરસ્ત) લોકો માટે મહાન ખુશખબર છે, જે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નથી ઠેહરાવતા અને તેમનું ઠેકાણું જન્નત છે.
- આ હદીષને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ પહેલા ઇલ્મ છુપાવવાના ગુનાહમાં સપડાવવાના ભયથી વર્ણન કરી દીધી.
- આ હદીષમાં એક ચેતવણી આપવામાં આવી છે કે કેટલીક હદીષો કેટલાક લોકો સમક્ષ વર્ણન કરવામાં ન આવે કારણકે તેઓ તેનો અર્થ સમજી શકતા નથી, અને તેઓ એમ સમજશે કે કોઈ પણ અમલ કરવો જરૂરી નથી અને ન તો શરીઅતે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.
- તૌહીદ વાળાઓનો મામલો અલ્લાહના હાથમાં છે, જો અલ્લાહ ઈચ્છે તો તેમને અઝાબ આપશે અને જો ઈચ્છે તો માફ કરી દેશે, છેવટે તેમને જન્નતમાં દાખલ કરી દે શે.