- વાતની પુષ્ટિ અને તાકીદ માટે કસમ (સોગંદ) ખાવી જાઈઝ છે, પછી ભલેને તે ભવિષ્યમાં થનારી હોય.
- કસમ ખાધા પછી "ઇન્ શાઅ અલ્લાહ" કહી અપવાદ કરવાની છૂટ છે, અને કસમ (સોગંદ) ખાઈ નિયત સાથે આ અપવાદ કરવામાં આવ્યો હોય, તો કસમ તોડનારને કસમનો કફ્ફારો (પ્રાયશ્ચિત) નહીં આપવો પડે.
- કસમ વિરુદ્ધ જો ભલાઈ દેખાઈ તો તેને અપનાવવા પર તાકીદ કરવામાં આવી છે, અને કસમનો કફ્ફારો આપવાનો આદેશ આપ્યો છે.