{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે...
અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે એક અંધકાર રાત્રીમાં નબી ﷺ ને શોધવા નીકળ્યા, જેથી તેઓ અમને નમાઝ પઢાવે, મેં તેમને શોધી લીધા, આપ ﷺ એ કહ્યું: «કહો» મેં કઈ જવાબ ન આપ્યો, ફરી નબી ﷺ એ કહ્યું: «કહો» ફરી મેં પૂછ્યું કે શું કહું? તો નબી ﷺ એ કહ્યું: «{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
મહાન સહાબી અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેઓ એક રાત્રે નબી ﷺ ને શોધવા માટે નીકળ્યા, જે અંધકાર ભરી રાત અને વરસાદી હતી, જેથી નબી ﷺ તેમને નમાઝ પઢાવે, તો તેમણે નબી ﷺ ને શોધી કાઢ્યા, તો નબી ﷺ એ તેમને કહ્યું: "કહો" અર્થાત્ પઢો, તો તેમણે કઈ ન પઢયુ, તો નબી ﷺ એ ફરી વાર કહ્યું, તો અબ્દુલ્લાહએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! હું શું પઢું? તો નબી ﷺ એ કહ્યું: સૂરે ઇખલાસ પઢો {તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને સવાર સાંજ ત્રણ વખત મુઅવિઝતૈન {સૂરે ફલક} અને {સૂરે નાસ} પઢો, જે તમારા માટે દરેક બુરાઈથી પૂરતી થઈ જસે, અને તમને દરેક બુરાઈઓથી સુરક્ષિત રાખશે.
Hadeeth benefits
સવાર સાંજ સૂરે ઇખલાસ, અને મુઅવિઝતૈન (સૂરે ફલક, સૂરે નાસ) પઢવી જાઈઝ છે, જે દરેક બુરાઈઓથી બચવાનો સ્ત્રોત છે.
સૂરે ઇખલાસ, અને મુઅવિઝતૈન (સૂરે ફલક, સૂરે નાસ) પઢવાની મહત્ત્વતા.
Share
Use the QR code to easily share the message of Islam with others