- દુઆની મહત્ત્વતા એ કે જે વ્યક્તિ દુઆ કરે છે તો તે અલ્લાહની મહાનતાનો એકરાર કરે છે, તેની માલદારીનો એકરાર કરે છે કે ફકીર સામે હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે સાંભળવાવાળો છે, બહેરા સામે હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે ખૂબ આપવાવાળો છે કારણકે કંજૂસ સામે તો હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે અત્યંત દયાળુ છે, કારણકે કઠોર દિલ વ્યક્તિ સામે હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે સંપૂર્ણ કુદરત ધરાવે છે કારણકે નિર્બળ સામે તો હાથ ફેલાવી શકતા નથી, અને તે ખૂબ નજીક છે કારણકે જે દૂર છે તેની સામે તો હાથ ફેલાવી શકતા નથી, અને આવા મહાન તેમજ સુંદર ગુણોનો માલિક પવિત્ર અલ્લાહ તઆલા જ છે.