/ સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ...

સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ...

અબૂ અબ્દુર્ રહમાન અસ્ સુલ્લમી રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ, આ પ્રમાણે અમે ઇલ્મ અને અમલ પ્રાપ્ત કર્યું.
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

સહાબા આપ ﷺ પાસેથી કુરઆન મજીદની દસ આયતો પઢતા અને શીખતાં હતા અને સહાબા ત્યાં સુધી બીજી દસ આયતો આપ ﷺ પાસેથી નહતા શીખતાં જ્યાં સુધી પહેલી દસ આયતો વિશે ઇલ્મ પ્રાપ્ત ન કરી લે અને તેના મુજબ અમલ ન કરી લે, એટલા માટે ઇલ્મ શીખો પરંતુ તેની સાથે અમલ પણ કરતા રહો.

Hadeeth benefits

  1. સહાબાની મહત્ત્વતા અને સહાબાનું કુરઆન પ્રત્યે ઇલ્મ પ્રાપ્તિનો ઉત્સાહ.
  2. કુરઆન મજીદની તાલિમ પ્રાપ્ત કરો, જેની સાથે સંપૂર્ણ ઇલ્મ અને અમલ પણ હોય, ફક્ત તેની તિલાવત અને યાદ કરવાને પૂરતું ન સમજો, સાથે સાથે અમલ પણ કરો.
  3. વાત અને અમલ કરતા પહેલા ઇલ્મ પ્રાપ્ત કરવું જોઈએ.