- અલ્લાહ તઆલાની પોતાના બંદાઓ પર અત્યંત દયા કે તે દુનિયામાં જ તેમને ગુનાહોથી પાક કરે છે, દુનિયામાં આવતી મુસીબતો અને તકલીફો વડે.
- ફક્ત ઇમાનની સ્થિતિમાં જ બંદાના ગુનાહો માફ થાય છે, જ્યારે બંદો સબર કરે અને ગુસ્સો ન કરે.
- દરેક કાર્ય માટે ધીરજ રાખવા પર ઉભાર્યા છે, તે દરેક કામ, જે પસંદ હોય કે ન હોય, અને ત્યાં સુધી તેના પર ધીરજ રાખે, જ્યાં સુધી તે અલ્લાહના આદેશનું અનુસરણ ન કરી લે, અને ત્યાં સુધી પણ ધીરજ રાખે, જ્યાં સુધી તે અલ્લાહએ પ્રતિબંધિત કરેલ કાર્યોથી દૂર થઈ જાય, અને આ દરેક કામ અલ્લાહ પાસે સવાબની આશા રાખીને કરે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "મોમિન પુરુષ અને મોમિન સ્ત્રી" મોમિન સ્ત્રી શબ્દનો વધારો કરવામાં આવ્યો, સ્ત્રી માટે તાકીદ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે, જો કે ફક્ત મોમિન કહેવું પૂરતું હતું, જેમાં મોમિન પુરુષ અને સ્ત્રી બન્નેનો સમાવેશ થઈ જતો, કારણકે ફક્ત પુરુષો માટે ખાસ નથી, જ્યારે કોઈ સ્ત્રી તકલીફ અથવા મુસીબતમાં સપડાય છે, તો તેના પણ ગુનાહને માફ કરી દેવામાં આવે છે.
- જે વસ્તુ બંદા પર આવતી સતત મુસીબતોને સરળ બનાવે છે, તે મુસીબતો દ્વારા મળતી ખૂબી છે.