- એક મોમિન માટે જરૂરી છે કે તે લોકોને અલ્લાહ સાથે મોહબ્બત કરનાર બનાવે, અને તેમને ભલાઈના કામો તરફ પ્રોત્સાહિત કરે.
- દાઈ (ઇસ્લામનો પ્રચાર કરનાર) માટે જરૂરી છે કે તે ઇસ્લામનો પ્રચાર કરવામાં હિકમતનો માર્ગ અપનાવે.
- ખુશખબર ફેલાવવાથી ઇસ્લામનો પ્રચાર કરનારના દિલમાં શાંતિ અને રાહત તેમજ જે લોકોને તે દઅવત આપી રહ્યો છે, તેમનામાં પણ ખુશી અને શાંતિ ઉતપન્ન થાય છે.
- પ્રચારક દ્વારા કરવામાં આવતી સખતી અથવા તેની વાતોની કઠિનતા લોકોમાં નફરત, શંકા અને પાછા ફરી જવા જેવી બાબતો ઉત્પન્ન થાય છે.
- બંદા માટે અલ્લાહની વિશાળ રહેમત, જેણે તેમના માટે ભાઈચારા પર આધારિત દીન અને સરળ શરીઅત બનાવી.
- સહુલતનો આદેશ પણ તે જ છે, જે શરીઅત લઈને આવી હોય.