/ વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે...

વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺએ કહ્યું: «વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ કોઈ એવી સ્ત્રીની જરૂરિયાતનું ધ્યાન રાખતો હોય, જેના પતિનું મૃત્યુ થઈ ગયું હોય, તેની જરૂરિયાત પૂરી કરનાર કોઈ ન હોય, અને તે અલ્લાહ પાસે સવાબની આશા રાખતા, તે સ્ત્રી પર ખર્ચ કરે, તો તે વ્યક્તિનો સવાબ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર અર્થવા રાત્રે તહજ્જુદ પઢનાર વ્યક્તિ અથવા તો એક રોઝદારના સવાબ જેટલો સવાબ મળશે.

Hadeeth benefits

  1. આ હદીષમાં કમજોર લોકોની જરૂરત દૂર કરવા, તેમની દેખરેખ રાખવા અને તેમની મદદ કરવા પર ઉભાર્યા છે.
  2. ઈબાદતમાં દરેક નેક અમલનો સમાવેશ થાય છે, ઈબાદત માંથી એ પણ કે કોઈ વિદ્વા સ્ત્રી અથવા ગરીબ માટે પ્રયત્ન કરવો જોઈએ.
  3. ઈબ્નુ હુબૈરહ કહે છે: અર્થાત્ અલ્લાહ તઆલા એ તેના માટે એક જ વારમાં રોજદાર, તહજ્જુદ પઢનાર અને જિહાદ કરનાર વ્યક્તિ જેટલો સવાબ કહ્યો છે; એટલા માટે કે તેણે તેના માટે તેના પતિનું સ્થાન લીધું..., અને તે લાચારની જવાબદારી લીધી, જે પોતે ઉભો થઇ શકતો ન હતો, તેણે પોતાની શક્તિ પ્રમાણે તે લોકો પર ખર્ચો કર્યો, અને પોતાની સ્થિતિ પ્રમાણે સદકો પણ કર્યો, એટલા માટે તેનો સવાબ રોજદાર, તહજ્જુદ પઢનાર અને જિહાદ કરનાર જેટલો મળ્યો.