/ મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો

મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સંપૂર્ણ ઇમાન ધરાવનાર મોમિનની આ શાન નથી કે તે લોકોના નસબને લઈ તેમનું અપમાન કરે, ખૂબ લઅનત અને મહેણાં ટોણાં મારે, અને પોતાના કાર્યો તેમજ જબાન વડે અભદ્ર શબ્દો કહે, જેમાં સહેજ પણ હયા ન હોય.

Hadeeth benefits

  1. શરીઅત (કુરઆન હદીષ) પ્રમાણે ઇમાનનો ઇન્કાર ફક્ત હરામ કાર્ય કરવા અથવા વાજિબ કાર્યો છોડવા પર જ થઈ શકે છે.
  2. અંગોને સુરક્ષિત રાખવા અને તેમને બુરાઈથી બચવા માટે ઉભારવા, ખાસ કરીને જબાન.
  3. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જે શબ્દોનું વર્ણન થયું છે, (અત્ તઆન, અલ્ લિઆન) જે શબ્દો મુબાલગા (અરબી વ્યાકરણ) ના છે, એ વાતની પુષ્ટિ કરે છે કે કેટલાક લઅનતને પાત્ર વ્યક્તિ પર લઅનત કરવાથી મોમિન અને તેના ઇમાનને કોઈ નુકસાન નથી પહોંચતું.