- ગુસ્સાના સમયે નફસ પર કાબુ અને સહનશીલતાની મહત્ત્વતા, અને તે સારા કાર્યો માંથી એક છે, જેના પર ઇસ્લામ પ્રોત્સાહિત કરે છે.
- ગુસ્સાના સમયે પોતાના નફસને કાબુ રાખવો દુષ્મન સાથે લડાઈ કરવાથી વધુ સખત છે.
- ઇસ્લામે અજ્ઞાનતાના સમયમાં શક્તિની જે વ્યાખ્યા લોકો સમજતા હતા તેને સુંદર અખલાકથી બદલી દીધી, ઇસ્લામની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી વ્યક્તિ તે છે, જે પોતાના નફસ પર કાબુ મેળવી લે.
- ગુસ્સો કરવાથી દૂર રહેવું; કારણકે તેને દ્વારા શારીરિક અને સામાજિક નુકસાન થાય છે.