/ મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે...

મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે બંદો પોતાના સારા વ્યવહારના કારણે કાયમ રોજો રાખનાર અને તહજ્જુદની નમાઝ પઢનારનો દરજ્જો પ્રાપ્ત કરી લે છે, સારા અખ્લાક જેવા કે: નેકી ફેલાવવી, સારી વાતચીત કરવી, હસતા મોઢે મળવું, લોકોને તકલીફ આપવાથી બચવું.

Hadeeth benefits

  1. ઇસ્લામે માનવીના સારા અખ્લાક પ્રત્યે અને તેને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.
  2. સારા અખ્લાકનું મહત્વ, અહીં સુધી કે બંદો સતત રોઝા રાખનાર અને થાક્યા વગર રાત્રે તહજ્જુદ પઢનારના દરજ્જા સુધી પહોંચી જાય છે.
  3. રોજો રાખવો અને રાત્રે તહજ્જુદની નમાઝ પઢવી, બન્ને મહાન અમલ છે, જેના માટે ઘણી તકલીફ ઉઠાવવી પડતી હોય છે, જ્યારે કે સામાન્ય રીતે સારો વ્યવહાર અપનાવી બંદો તે સ્થાન અને દરજ્જા સુધી પહોંચી શકે છે.