- અલ્લાહની કસમ ખાવાની મહત્ત્વતા, અને તે જરૂર વગર ખાવામાં ન આવે.
- હરામની કમાણી ભલેને તે વધુ માત્રામાં હોય, તે બરકતથી ખાલી હોય છે, અને તેમાં કોઈ ભલાઈ નથી.
- ઈમામ કારી રહિમહુલ્લાહએ કહ્યું: કમાણી માંથી બરકત જતી રહેવી, તે તેના માલને નુકસાન પહોંચાડવાના કારણે હોય શકે છે, અથવા તે સિવાય અન્ય માર્ગમાં ખર્ચ કરે જેના દ્વારા તેને ન તો કોઈ ફાયદો થાય અથવા ન તો તેને આખિરતમાં સવાબ પ્રાપ્ત થાય, જો કે તે teની પાસે બાકી રહે છે પરંતુ તે તેની બરકતથી વંચિત થઈ જાય, અથવા કૃતદનીને વારસામાં મળે છે જે teની કદર કરતો નથી.
- ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: વેપાર ધંધામાં વધુ પ્રમાણમાં કસમ ખાવાથી રોક્યા છે; કારણકે તે એક બિન જરૂરી કાર્ય છે, જેમાં ઉત્પાદનનો પ્રચાર થાય છે અને ખરીદી કરનારને કસમ ખાઈ ધોખો આપવામાં આવે છે.
- વધુ પ્રમાણમાં કસમ ખાવી તે ઈમાન અને તૌહીદની કમજોરીની દલીલ છે; કારણકે વધુ પ્રમાણમાં કસમ ખાવાથી બે વસ્તુઓ થઈ શકે છે: પહેલી: આળસ કરવી અને બેપરવાહી કરવી, બીજી: જે વધુ પ્રમાણમાં કસમો ખાઈ છે શક્ય છે કે તે જૂઠમાં સપડાઈ શકે છે, એટલા માટે તેને ઓછી કરવી જોઈએ ન કે વધારે, એટલા માટે જ પવિત્ર અલ્લાહએ કહ્યું: {પોતાની કસમોની સુરક્ષા કરો} [અલ્ માઇદહ:૮૯].