- નજર નીચી રાખવા પ્રત્યે પ્રોત્સાહન.
- જો અચાનક કોઈ ઈરાદા વગર જે વસ્તુને જોવું હરામ છે અર્થાત્ અજાણી સ્ત્રી, તો તેની તરફ સતત નજર રાખવા પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે.
- સહાબાઓ સ્ત્રીઓ સામે જોવાથી સંપૂર્ણ રીતે બચતા હતા, જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુની આ હદીષ અને તેમનો સવાલ સાબિત કરે છે કે જો કોઈ ઈરાદા વગર નજર પડી જાય, તો તેનો આદેશ શું છે?
- શરીઅત પોતાના બંદાઓના ફાયદાનું ખૂબ જ ધ્યાન રાખે છે, માટે તે નજરથી સંપૂર્ણ રીતે બચવાનો આદેશ આપ્યો જેના કારણે બંદાને દુનિયા અને આખિરતમાં નુકસાન થતું હોય.
- જેના વિશે શંકા હોય તે બાબતે સહાબા તરત જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કરી લેતા હતા, માટે એક સામાન્ય વ્યક્તિએ પોતાના શંકાસ્પદ સવાલો બાબતે આલિમોને સવાલ કરી જાણી લેવું જોઈએ.