- ઈદની નમાઝ માટે સ્ત્રીઓનું ઈદગાહ તરફ નિકળવુ જાઈઝ છે, અને તેમને એકાંતમાં નસીહત કરવી પણ જાઈઝ છે.
- પતિની અવજ્ઞા કરવી અને ખૂબ મહેણાંટોણાં કરવા તે મોટા ગુનાહો માંથી છે; કારણકે તેના પર જહન્નમની ચેતના આપવામાં આવી છે અને તે મોટા ગુનાહ હોવાની નિશાની છે.
- આ હદીષમાં ઈમાનના વધઘટની વાત કરવામાં આવી છે, બસ જેની ઈબાદતો વધી જાય તેનું ઈમાન પણ વધી જશે અને જેની ઈબાદતમાં કમી આવશે તો તેના ઈમાનમાં પણ ઘટાડો થશે.
- ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જે રીતે બુદ્ધિ વધઘટનો સ્વીકાર કરે છે, એવી જ રીતે ઈમાન પણ, સ્ત્રીઓના ઘટાડા વર્ણન કરવાનો હેતુ એ નથી કે તેમને ગુનેગાર ઠેહરાવવામાં આવે, કારણકે તે સર્જનની શરૂઆતથી આ પ્રમાણે છે, પરંતુ તેમને પણ ફિતનાના સપડાવવાથી સચેત કર્યા છે, અને અઝાબની ચેતના આપી છે જે તેમની અવજ્ઞાના કારણે છે ન કે તેમની કમીના કારણે, દીનની કમી ફક્ત ગુનાહનું કારણ બનવા ખાતર નથી પરંતુ તે સામાન્ય છે.
- આ હદીષમાં વિદ્યાર્થી, શિક્ષક, અનુયાયી, અને જેનું અનુસરણ કરવામાં આવે છે, તેમને જો શબ્દનો અર્થ ન સમજી શકાય તો તેમને ફરીવાર પૂછી લેવું જોઈએ.
- આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સ્ત્રીની સાક્ષી પુરુષની સાક્ષી કરતાં અધૂરી છે, અને આ તેમના નિયંત્રણના અભાવના કારણે છે.
- ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ આ શબ્દ વિષે: "મેં તમારા કરતાં નાકિસ (અધૂરા) નથી જોયા... અંત સુધી" કહ્યું: મને લાગે છે કે સ્ત્રીઓના જહન્નમમાં જવાનું કારણ એક એ પણ છે કે તે એક મક્કમ પુરુષને ગુનાહ તરફ બોલાવી અથવા કહી ભટકાવી દે છે, જે શરીઅતમાં હરામ છે, તે પણ તેના ગુનાહ ભાગીદાર હોવાના કારણે જહન્નમમાં જશે.
- હૈઝના દિવસોમાં સ્ત્રી માટે નમાઝ પઢવી અને રોઝા રાખવા હરામ છે, એવી જ રીતે બાળકને જન્મ આપનાર સ્ત્રી માટે પણ હરામ છે, ફરી તે પાક થયા પછી ફક્ત રોઝાની કઝા કરશે.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદ્ વ્યવહારનું વર્ણન કે તે સ્ત્રીઓને તેમના દરેક સવાલો પર કોઈ પણ સંકોચ વગર જવાબ આપે છે.
- ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સદકો અઝાબ દૂર કરવાનું કારણ બને છે, અને લોકો દરમિયાન થયેલા ગુનાહોનો કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે.
- ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: સ્ત્રીઓની દીનમાં કમી તેમના હૈઝ (માસિક)ના સમયે નમાઝ અને રોઝા છોડવાના કારણે છે; બસ જેની ઈબાદતો વધારે હોય તેનું ઈમાન પણ વધી જાય છે, અને જેની ઈબાદતોમાં ઘટાડો આવી જાય, તેનું ઈમાન પણ ઘટી જાય છે, ફરી તે દીનમાં કમીના કારણે અન્ય ગુનાહમાં પણ સપડાઈ શકે છે, જેમકે કોઈ પણ કારણ વગર, નમાઝ છોડવી, અથવા રોઝા છોડવા, અથવા જરૂરી ઈબાદતો ન કરવી, એવી જ રીતે તેમની જુમ્માની નમાઝ છોડવી, અથવા યુદ્ધ ન કરવુ અથવા તે કાર્યો છોડવા જે તેમના પર વાજિબ નથી તેમના શિરે કોઈ ગુનોહ નથી, અને તેમના માટે હૈઝના સમયે નમાઝ અને રોઝા છોડવા જરૂરી છે.