- મહરમ વગર સ્ત્રી માટે સફર કરવું જાઈઝ નથી.
- એક સ્ત્રી બીજી સ્ત્રી માટે સફરમાં મહરમ નથી બની શક્તિ; કારણકે નબી ﷺ એ કહ્યું: "તેનો પતિ અથવા તેનો મહરમ".
- તે દરેક સફર જેને સફર કહેવામાં આવે છે, તેના માટે પતિ કે મહરમ વગર સફર કરવો હરામ છે, અને આ હદીષ દરેક સવાલ કરનારની સ્થિતિ અને જગ્યા પ્રમાણે લાગુ પડશે.
- સ્ત્રીનો મહરમ તેનો પતિ અથવા તે વ્યક્તિ છે જેની જોડે તે કાયમી સંબંધના કારણે શાદી કરી નથી શક્તિ, જેમકે, તેના પિતા, પુત્ર, માંમાં, કાકા, અથવા પાલક પિતા, પાલક પિતાના કારણે મામાં, અથવા સાસરિયાં સંબંધના કારણે, જેમકે પતિનો પુત્ર, જે મુસલમાન, પુખ્તવય, બુદ્ધિશાળી, અને ભરોસા પાત્ર હોય, અને મહરમ હોવાનો હેતુ એ છે કે તે સ્ત્રીની મદદ કરે, તેની સુરક્ષા કરે, અને તેનું ધ્યાન રાખે.
- ઇસ્લામની શરીઅત (કાનૂન) સ્ત્રીનો ખ્યાલ રાખે છે, તેમની સુરક્ષા કરે છે, અને મદદ કરે છે.
- કોઈ પણ પ્રકારની નમાઝ ફજર પછી અને અસર પછી પઢવી યોગ્ય નથી, પરંતુ છૂટી ગયેલી નમાઝો પઢી શકાય છે, એ હાજત (જરૂરત)ની નમાઝ, જેમકે મસ્જિદમાં દાખલ થતી વખતે પઢવામાં આવતી નમાઝ, તો તે પઢી શકાય છે.
- સૂર્યોદય થાય પછી તરત જ નમાઝ પઢવી હરામ છે, અહી સુધી કે સૂરજ નીકળી એક ભાલા બરાબર ઊગી જાય, જે દસ મિનિટ, અથવા પંદર મિનિટ જેટલો સમય હોય છે.
- અસર પછીનો સમય સૂર્યાસ્ત સુધીને સમય છે.
- ત્રણ મસ્જિદો તરફ સફર કરવો જાઈઝ છે.
- આ ત્રણ મસ્જિદોની મહત્ત્વતા, અને અન્ય મસ્જિદો પર યોગ્યતા.
- કબરોની મુલાકાત લેવા માટે સફર કરવો હરામ છે, ભલેને તે કબર નબી ﷺ ની પણ કેમ ન હોય, અને જે વ્યક્તિ મદીનહમાં હોય અથવા બીજા કોઈ કારણે ત્યાં આવ્યો હોય, તો તેના માટે નબી ﷺ ની કબરની મુલાકાત લેવી જાઈઝ છે.