- શરીઅતના આદેશનો સ્વીકાર કરી સેહરી કરવું મુસ્તહબ છે.
- ફતહુલ્ બારીમાં ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઘણી રીતે સેહરી કરવામાં બરકત છે, જેમ કે સુન્નતનું અનુસરણ, અહલે કિતાબનો વિરોધ, ઠોસ ઈબાદત, ચપળતામાં વધારો, ભૂખથી ઉતપન્ન થતા ખરાબ વ્યવહાર પર રોક, તે લોકો માટે સદકાનો માર્ગ સરળ કરવો, જેઓ માગે છે, અથવા ખાવા માટે ભેગા થાય છે, દુઆ કબૂલ થવા માટેની ઘડી વખતે ઝિક્ર અને દુઆ કરવાનો સમય મળવો, તેમજ તે લોકો માટે રોઝાની નિયત કરવાનો સમય, જેઓ સૂતા પહેલા નિયત કરવાનું ભૂલી ગયા હોય.
- નબી ﷺનો સારો શિક્ષણ અભિગમ; કારણકે હિકમત સાથે આદેશ આપવો હૃદયને સંતુષ્ટ કરવા અને શરીઅતને ઉપલબ્ધિ જાણવી રાખવા.
- ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સેહરી ત્યારે કહેવાશે જ્યારે વ્યક્તિ થોડુંક ખાઈ પી લેશે.