- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમયાંતરે પોતાના સહાબાઓને અલગ અલગ વસિયત કરતા હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓની સ્થિતિ અને તેમની હાલત પ્રમાણે યોગ્ય નસિંહત અને વસિયત કરતા હોય છે, શક્તિશાળી માટે જિહાદની વસિયત, ઈબાદત કરનાર માટે ઈબાદતની વસિયત અને મુઅલ્લિમ માટે ઇલ્મ જેવી નસીહત.
- ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મહિનાના ત્રણ રોઝા રાખવા જેનો જાહેર અર્થ એ કે તેનાથી મુરાદ દર મહિનાના અય્યામેં બિઝ, અર્થાત્ તેર, ચૌદ અને પંદરમાં ચાંદનો રોઝો રાખવો.
- ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સૂતા પહેલા વિતર પઢવી, તે વ્યક્તિ માટે જે રાત્રે ઉઠી પઢી ન શકે.
- આ ત્રણેય અમલની મહત્ત્વતા; આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઘણી વખત પોતાનો સહાબાઓને વસિયત કરી છે.
- ઈમામ ઈબ્ને દકીક અલ્ ઇદી રહિમહુલ્લાહએ કહ્યું: (બે રકઅત ચાષ્તની નમાઝ): કદાચ આ હદીષમાં ચાષ્તની કમસે કમ નમાઝ પઢવાનો પુરાવો મળે છે, તેની સંખ્યા બે રકઅત છે.
- ચાષ્તની નમાઝનો સમય: સૂર્યોદયના લગભગ પંદર મિનિટ પછી, ઝોહરની નમાઝની દસ મિનિટ પહેલા સુધી રહે છે, તેની સંખ્યા: કમસે કમ બે રકઅત, વધુમાં વધુ રકઅત બાબતે વિવાદ જોવા મળે છે, કેટલાક કહે છે કે આઠ રકઅત, કેટલાક કહે છે કે તેની કોઈ સીમા નથી.
- વિતરનો સમય: ઇશાની નમાઝ પછીથી લઈ કે ફજરની નમાઝ સુધી હોય છે, ઓછામાં ઓછી એક રકઅત પઢવી, વધુમાં વધુ અગિયાર રકઅત પઢવી.