/ નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે...

નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે...

ખવલહ અન્સારીયા રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેણીએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ તે લોકો વિશે જણાવ્યું, જેઓ મુસલમાનના માલ માંથી બાતેલ તરીકાથી ફેરફાર કરે છે, ખર્ચ કરે છે, અને તે અવૈદ્ય રીતે રકમ લેતા રહે છે, અને આ હદીષનો અર્થ દરેક માટે છે, અવૈદ્ય રીતે કમાવવું અથવા તેને ભેગું કરવો, અથવા વ્યર્થ રસ્તા પર ખર્ચ કરવું, અને આ હદીષમાં એ પણ આવે છે કે અનાથોના માલ માંથી ખાવુ, વકફ કરેલી જગ્યાઓ હડપી લેવી, અમાનતોનો ઇન્કાર કરવો, જાહેર ભંડોળ માંથી પરવાનગી વગર લેવું અને તેને ખર્ચ કરવો પણ આ હદીષની સમજૂતીમાં આવે છે. ફરી આપ ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે આવા લોકોનો બદલો જહન્નમ છે.

Hadeeth benefits

  1. લોકોના હાથમાં જે પૈસા છે, તે અલ્લાહનું નાણું છે, તેણે તેમને તેના પર નાયબ (ઉત્તરાધિકારી) તરીકે નિયુક્ત કર્યા છે, જેથી તેઓ તેને કાયદેસર રીતે ખર્ચ કરે, અને અન્યાયી રીતે તેનો ખર્ચ ન કરે, અને આ ગવર્નરો અને અન્ય લોકો માટે સામાન્ય નિયમ છે.
  2. જાહેર નાણાં (પ્રજાએ ભેગો કરેલો માલ) અંગેના કાયદાની કડકતા, અને જે કોઈને તેમાંથી કોઈ વસ્તુ સોંપવામાં આવે છે, તે તેના સંગ્રહ અને ખર્ચ માટે કયામતના દિવસે જવાબદાર રહેશે.
  3. આ ચેતવણીમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ ગેરકાયદેસર રીતે નાણાંનો નિકાલ કરે છે, પછી ભલે તે તેમના પોતાના હોય કે અન્ય કોઈના.